(જીએનએસ)
ગાંધીનગર, 24
¤ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત કરશે.
¤ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના અમલીકરણ માટે, જૂન-2023 થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી રાજ્યની દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલમંદિર શરૂ કરવામાં આવશે.
¤ જૂન-2023 થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં બાલવાટિકામાં અંદાજે 9,77,513 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે અને ધોરણ-1માં 2,30,019 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.
¤ રાજ્ય સરકાર ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કટ-ઓફ માર્ક્સ કરતાં વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરશે.
પ્રવક્તા મંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશ માટે લાયક બાળકોની નોંધણી વર્ષ-2003થી વધવા લાગી છે. 12 થી 14 જૂન-R0R3 દરમિયાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવશે.