રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ફરાર આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેની સમીક્ષા કરી હતી અને આ વર્ષે પોલીસે 2789 આરોપીઓની ધરપકડ કરી છે જેઓ છેલ્લા પાંચ વર્ષમાં ગુના કરીને ફરાર થઈ ગયા હતા. ખાસ કરીને 5 વર્ષ કે તેથી વધુ સમયથી નાસતા ફરતા 612 અને 2 થી 5 વર્ષથી નાસતા ફરતા 626 આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે.
પોલીસ વડાની સૂચનાથી રાજ્ય પોલીસ ફરાર આરોપીઓને ઝડપી લેવા સક્રિય બની હતી. આ વર્ષે 2789 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ, સમાજમાં ભય/આતંક ઉભો કરવા અને ગંભીર શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવાની સૂચના મળતાં પોલીસે 2789 આરોપીઓની ધરપકડ કરી છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ફરાર આરોપીઓને પકડવા માટે હાથ ધરવામાં આવેલા ઓપરેશનની સમીક્ષા કરી હતી. જેમાં રાજ્યમાં અનેક આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ વિભાગને આવા આરોપીઓને પકડવા માટે તાત્કાલિક કામગીરી વધુ તેજ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં 174, સુરત શહેરમાં 250, રાજકોટ શહેરમાં 131, સાબરકાંઠામાં 104, પંચમહાલ-ગોધરામાં 106, દાહોદમાં 270, સુરત ગ્રામ્યમાં 100, વલસાડમાં 122, બનાસકાંઠામાં 276 આરોપી છે. આ દરમિયાન ઘણા વર્ષોથી ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
શરીર સંબંધી 8, મિલકત સંબંધિત 06 અને પ્રતિબંધિત હુકમ હેઠળ 7 સહિત કુલ 21 આરોપીઓને વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ રીતે 20 આરોપીઓને ભુજ જેલમાં, 16ને રાજકોટ જેલમાં અને 15ને સુરત જેલમાં મોકલવામાં આવ્યા છે. આ આરોપીઓમાં શારીરિક ગુનાઓમાં 29, મિલકત સંબંધી ગુનામાં 22 અને પ્રતિબંધિત હુકમ હેઠળના ગુનામાં 21 મળી કુલ 72 આરોપીઓને ગુજરાતની વિવિધ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.