ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવતા યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ચાન્સેલર ડો. નીરજા ગુપ્તાએ ગાંજાના છોડ મળવાની ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી છે અને તપાસના આદેશ આપ્યા છે. ડો. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે- પ્લાન્ટ શણનો છે કે કેમ તે તપાસવા માટે તેના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.