અરવલ્લીના ડુંગરોમાં આવેલું માતા અંબાના ધામ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરરોજ લાખો માઇ ભક્તો માતાના દર્શન કરવા માટે આ માતાના ચરણોમાં નમન કરે છે. શક્તિપીઠ અંબાજીમાં કોઈપણ અગ્રણી કલાકારો અથવા તો વીવીઆઈપી પણ માતાજીના ચરણોમાં માથું નમાવવા અને માના આશીર્વાદ લેવા અંબાજી આવે છે. આજે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા.
આજે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અંબા સ્થિત મા જગતજનના ખાનગી મંદિરે પહોંચ્યા હતા. અંબાજી મંદિરે પહોંચતા મંદિરના પૂજારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. શંકર ચૌધરીએ માતાજીના ગર્ભગૃહમાં જઈને માતાજીના ચરણોમાં પ્રણામ કર્યા હતા. આથી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. તેમજ વિશ્વના કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. માતાજીના દર્શન અને આશીર્વાદ લીધા બાદ વિધાનસભા અધ્યક્ષ ભટ્ટજી મહારાજની ગાદી પાસે ગયા હતા અને ભટ્ટજી મહારાજને રક્ષા કવચ બાંધી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.