(અહેવાલઃ દેવ કાલેટ પાંથાવાડા)
રામપુરા (પાંસવાલ)ના પિતા-પુત્ર બંનેએ સમૂહ લગ્નમાં અનોખું દાન કર્યુંઃ પાલનપુર તાલુકાના પરપડા ખાતે આવેલી માવતર વાડી ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂ બ્રાહ્મણ સમાજના 13મા સમૂહલગ્નમાં 27 નવ યુગલોએ સાત ફેરા લીધા હતા. આ પ્રસંગે દાંતીવાડાના રામપુરા (પાંસવાલ)ના વતની શ્રીમાળી શૈલેષકુમાર નાથાભાઈ અને તેમના પુત્ર શ્રીમાળી કૃષ્ણકુમાર શૈલેષભાઈએ પાલનપુર વિધાનસભાના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ અરવિંદભાઈ ચૌરસિયાની હાજરીમાં દાનની જાહેરાત કરી હતી.