નવી દિલ્હી; ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ લોકો ઈસરોને અભિનંદન આપવા લાગ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ માટે લોકો ઈસરોને અભિનંદન આપી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈસરોના વડા એસ સોમનાથને પત્ર લખ્યો છે. પત્ર દ્વારા તેમણે ઈસરોના વડા અને તેમની સમગ્ર ટીમને ઐતિહાસિક કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે બુધવારે સાંજે ઈસરોએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. તમામ ભારતીયો, ખાસ કરીને યુવાનો માટે આ ખૂબ જ ગર્વ અને ઉત્સાહની વાત છે. તેમણે લખ્યું કે ઈસરોની ઉત્તમ ક્ષમતાઓ દાયકાઓથી વિકસિત થઈ છે. આ જ કારણ છે કે આજે અમને આટલી મોટી સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચંદ્રયાન-3ના લેન્ડિંગ વખતે પીએમ મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલા હતા. પીએમે ઈસરોના વૈજ્ઞાનિકોને તેમની મોટી સફળતા બાદ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય નાસાના પ્રશાસક બિલ નેલ્સને બુધવારે ચંદ્ર પર ‘ચંદ્રયાન-3’ના સફળ ‘સોફ્ટ-લેન્ડિંગ’ બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે યુએસ સ્પેસ એજન્સી આ મિશનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ‘ભાગીદાર’ બનીને ખુશ છે.