અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ હવે ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં પોરબંદરથી 320 કિમી દૂર છે, જ્યારે તે દ્વારકાથી 360 કિમી દૂર છે. તેમજ તે નલિયાથી 440 કિમી દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ચક્રવાત 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ત્રાટકી શકે છે.