NDRF, નેવી, આર્મી, કોસ્ટ ગાર્ડ, એર ફોર્સ સાથે સંપર્ક અને સંકલન જાળવી રાખ્યું
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક યોજી ચક્રવાત “બિપરજોય” સામે સરકાર અને વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી.
અમિત શાહે કહ્યું કે કેન્દ્રએ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત, આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડની ટુકડીઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે. 12 જૂને પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલી મહત્વપૂર્ણ સૂચનાઓ પર ઝડપથી કાર્યવાહી કરવાની જરૂર છે.
ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ભારત સરકારની તમામ એજન્સીઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચક્રવાત બિપરજોય સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની તૈયારીઓ અને પૂર્વ તૈયારીઓની સંપૂર્ણ સમીક્ષા કરી હતી. ચક્રવાતથી પ્રભાવિત આઠ જિલ્લાઓમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે.
માછીમારોની કુલ 21595 બોટ ફિશિંગ બંદર પર ઉભી છે. 27 જહાજો બંદરની નજીક અને 24 મોટા જહાજો લંગરાયેલા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટ ગાર્ડ, એરફોર્સ સાથે સંપર્ક અને સંકલન જાળવવામાં આવે છે.