ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય તેજ ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત બિપરંજયને જોતા ધાર્મિક સ્થળો પર તકેદારી રાખવામાં આવી રહી છે. કોઈ જાનહાનિ ન થાય તે માટે દ્વારકા, સોમનાથ, પાવાગઢ અને ચોટીલા મંદિરોને બંધ કરી દેવામાં આવ્યા છે. દ્વારકા અને સોમનાથ મંદિરો આજે દર્શનાર્થીઓ માટે બંધ છે. જ્યારે પાવાગઢ મંદિર આજે અને આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આ અંગે ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી બે દિવસ દર્શન માટે ન આવવા અપીલ કરવામાં આવી છે.