કોલસામાં ઘર્ષણના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
ઓખા જીએમબી પોર્ટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં કોલસાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જેમાં લાખો ટન કોલસો હોવાથી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
ઓખા પોર્ટ પર રાખવામાં આવેલા કોલસાના ઢગલામાં ભીષણ આગ ફાટી નીકળી છે. ભારે પવનના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જોરદાર પવનને કારણે કોલસામાં ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. એક તરફ ઓખા બંદર પર તોફાનના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો બીજી તરફ જેટી પર કોલસાના ઢગલા પર આગ લાગી છે.
જ્યાં સુધી વાવાઝોડાની વાત છે તો લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે આગામી પાંચ કલાક સુધી ચાલશે. દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.