પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્મામાં રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી. કોલેજ દ્વારા યુથ ટુરીઝમ ક્લબનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કોલેજમાં સ્થપાયેલી 25 સભ્યોની યુથ ટુરીઝમ ક્લબના નોડલ ઓફિસર તરીકે રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.જિતેન્દ્રકુમાર વી. પટેલની નિમણૂક કરવામાં આવી હતી.ડો. રોહિત કુમાર દેસાઈએ જણાવ્યું હતું કે યુવાનો ભારત અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક, આધ્યાત્મિક અને કુદરતી વારસાના શ્રેષ્ઠ રાજદૂત છે. યુથ ટુરિઝમ ક્લબ એ દેશમાં ટકાઉ અને વિકાસશીલ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. આવતીકાલના નાગરિકોને દેશ અને તેની ભૂગોળ વિશે જાગૃત કરવાના છે. પ્રવાસન પ્રવૃત્તિ દેશના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પડકારોમાંથી પણ રાહત આપે છે.
ગુજરાત સરકારના યુથ ટુરિઝમ ક્લબ પ્રોજેક્ટના ઉત્તર ગુજરાત સંયોજક અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નિયામક ડો.ચિરાગકુમાર એ. પટેલે જણાવ્યું હતું કે, યુથ ટુરિઝમ ક્લબની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા-કોલેજોમાં નિબંધ લેખન, લોગો ડિઝાઇન, ક્વિઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સ્કેચિંગ, પોસ્ટર મેકિંગ, અભિનય અને ડિબેટ જેવી સ્પર્ધાઓ યોજીને યુવાનોમાં ભારતીય પ્રવાસન વિશે જાગૃતિ લાવવાનો છે. શું કરવું. યુથ ટુરિઝમ ક્લબ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ટી-શર્ટ અને કેપનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ડો. કે. બી. પટેલ, ફેકલ્ટી મિત્રો અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હિંમતભાઈ એસ. મુલાણી અને ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલ.