મુંબઈ, 30 નવેમ્બર (હિ.સ.) આવકવેરા વિભાગ (IT)ની ટીમે ગુરુવારે સવારથી છત્રપતિ સંભાજીનગરમાં 11 નામાંકિત બિલ્ડરોના રહેઠાણો અને ઓફિસો પર એક સાથે દરોડા પાડ્યા છે. આ કામગીરીમાં 200 આઈટી અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ છે. આઇટી અધિકારીઓ શહેરના મોટા બિલ્ડરોની નાણાકીય ગેરરીતિઓ અને કરચોરીની તપાસ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આજે સવારે 6 વાગ્યાથી આઈટી વિભાગના અધિકારીઓએ અનેક ટીમો બનાવી શહેરના બિલ્ડરો પર દરોડા પાડી રહ્યા છે. આઈટી વિભાગે આ દરોડાને ખૂબ જ ગોપનીય રાખ્યો છે અને મોટા પાયે પોલીસ સુરક્ષા જાળવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી આગામી બે-ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. સમાચાર લખાય છે ત્યાં સુધી આઈટી ટીમ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.