છપ્પી નજીક શિવશક્તિ હોટલ પાસે રાજસ્થાનથી પશુઓ લઈને અમદાવાદ જઈ રહેલી ટ્રકે આગળ જઈ રહેલી કારને ટક્કર મારી હતી અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.ટ્રકની અંદર 68 જેટલા પશુઓ નિર્દયતાથી ભરીને રખડતા હતા. પોલીસે તાત્કાલિક પશુઓને બહાર કાઢ્યા હતા. જેમાં 19 પશુઓના મોત થયા હતા. જ્યારે 49 પશુઓ જીવિત હતા. પોલીસે તમામ જીવતા પશુઓને ડીસાના પાંજરામાં ખસેડ્યા હતા.
અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને 108 દ્વારા પાલનપુર સિવિલમાં સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો. ત્યારે છાપો મારતા પીએસઆઈ એસ.જે.પરમારે ટ્રક ચાલક અને માલીક વિરૂધ્ધ ઢોર ભરી ક્રુરતાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.