(GNS),તા.29
ગાંધીનગર/દેવભૂમિ દ્વારકા,
વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ન્યારા એનર્જી લિમિટેડ કંપની દ્વારા હવા, પાણી અને કચરાના પ્રદૂષણ માટે 31-12-2023 સુધીમાં છેલ્લા બે વર્ષમાં કુલ 14 ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાંથી વર્ષ 2022માં 3 અને વર્ષ 2023માં 11 ફરિયાદો મળી હતી.
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ન્યારા એનર્જી લિમિટેડ કંપની સામે મળેલી ફરિયાદોની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ તેમને માહિતી આપવામાં આવી રહી છે. જો સૂચનાઓનું પાલન કરવામાં ન આવે તો, કારણ બતાવો નોટિસ આપવામાં આવે છે. આ ઉપરાંત ગંભીર ગુનાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં મળેલી ફરિયાદોમાંથી 11 ફરિયાદો રદ કરવામાં આવી છે.