સૂચના મળતા જ તેમણે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. સર્ચ ઓપરેશન દરમિયાન આ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરુ કર્યો હતો. સુરક્ષા દળોએ આ ફાયરિંગ પર જવાબી કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાએ એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે, કુલગામમાં હલની ઊંચા શિખરો પર આતંકીઓ હોવાની સૂચના મળતા જ સુરક્ષા દળોએ 4 ઓગસ્ટ, 2023ના દિવસ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયા અને પછી શહીદ થયા. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. આ પહેલા પુંછ વિસ્તારમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઢેર કર્યા હતા. ભારતીય સેનાના સ્પેશલ ફોર્સ, નેશનલ રાઈફલ્સ અને જમ્મૂ-કશ્મીર પોલિસના જોઈન્ટ ઓપરેશન દ્વારા આ વિદેશી આતંકીવાદીઓને મારવામાં આવ્યા હતા. જમ્મુ અને કશ્મીરમાં વર્ષોથી ભારતીય સેનાના જવાનો પોતાના જીવના જોખમે દેશની રક્ષા માટે તૈનાત છે.