ગુજરાતની ત્રીજી અને સૌરાષ્ટ્રથી દોડનારી વંદે ભારત ટ્રેન 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લીલી ઝંડી સાથે પ્રસ્થાન કરશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને આજે અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનથી વિરમગામ અને પાછા સાબરમતી સુધી ટ્રાયલ ચલાવવામાં આવી હતી.
આ ટ્રેન 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી. સૌરાષ્ટ્ર તરફના રેલ્વે ટ્રેક પર 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ટ્રેન દોડાવીને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરીક્ષણ દરમિયાન કોઈ અવરોધો અથવા સમસ્યાઓ જોવા મળી નથી.