(કિપર સમાચાર અહેવાલ વિષ્ણુ પરમાર વાવ)
રવિ સિઝનમાં સુઇગામ તાલુકામાં સર્વત્ર રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જો કે મામણા ગામના તાલુકા પંચાયત સુઇગામના સદસ્ય દિગપાલ દાનજી ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે એક તરફ ખેડૂતોએ મોંઘાદાટ ખાતર અને બિયારણની દવાઓ લાવીને જીરાના પાકનું વાવેતર કર્યું છે. બીજી તરફ માવાથા પણ પરેશાન છે. ત્રીજી તરફ મામણા ગામમાં 100 હેક્ટરથી વધુ જમીનમાં ઉગાડવામાં આવેલા જીરાના પાકને નર્મદા કેનાલના પાણીમાં ભેજના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ તે ખેડૂતોના હિતમાં છે.