જૂનાગઢ: શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ ઓછો તફાવત છે. ત્યારે લોકો અંધશ્રદ્ધામાં એટલી હદે ડૂબી જાય છે કે તેઓ પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફરી એકવાર તાંત્રિક વિધિના કારણે યુવતી બળાત્કારનો શિકાર બની છે. આ મામલે પોલીસમાં ફરિયાદ (FIR) નોંધવામાં આવી છે. તેમજ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢના કેશોદ નજીક આવેલા મેસવાણ ગામમાં ભુવાએ યુવતીને તાંત્રિક ક્રિયાના નામે પૈસાની લાલચ આપી યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. પરંતુ પૈસાના લોભને કારણે આ છોકરી અંધશ્રદ્ધામાં સપડાઈ ગઈ. જેનો લાભ લઈને ભુવાએ તાંત્રિક ક્રિયાના નામે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ પોતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો કે વાસ્તવિકતા એ છે કે ભુવાએ યુવતીને પૈસાની લાલચ આપી હતી. આ પછી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે ભુવાએ તેને તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બનાવી છે.
યુવતીએ પોલીસને એમ પણ જણાવ્યું કે આ તાંત્રિક ભુવાનું નામ સાગર છે, જેણે તેના પાંચ સાથીઓ સાથે મળીને ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહીં, પીડિતાઓએ આ તમામ લોકો સામે અત્યાચાર, ધમકીઓ અને સામૂહિક બળાત્કાર સહિત અન્ય ગુનાઓની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.