સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તાત્કાલિક સહાયની જાહેરાત કરી હતી.
જૂનાગઢમાં વરસાદ વચ્ચે જર્જરિત ઈમારત ધરાશાયી થવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. જૂનાગઢના કડિયાવાડમાં આ અકસ્માત થયો હતો. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
આ ઘટનામાં એક સાથે ચાર લોકોના મોત થયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક મદદની જાહેરાત કરી છે. સરકાર દ્વારા મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
તેમણે ટ્વીટ કર્યું કે જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. મૃતકોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારે મૃતકના પરિવારને બે લાખ રૂપિયા આપ્યા છે. 4 લાખની મદદ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં એક જર્જરિત 2 માળની ઈમારત ધરાશાયી થઈ હતી અને ઈમારતમાં રહેતા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમ અને મહાનગરપાલિકાને આ અંગેની માહિતી મળતાં પાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કાટમાળ નીચે દબાઈ જવાથી કુલ ચાર લોકોના મોત થયા હતા.