પોલીસે લાઠીચાર્જ સહિત ટીયર ગેસના શેલ છોડ્યા હતા, અસામાજિક તત્વોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી.
જૂનાગઢ: શહેરના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહના સ્થળાંતર અંગે નોટિસ આપવા ગયેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. મજેવડી પોલીસ ચોકી પર પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.
મજેવડી ગેટ પાસેની મઝારને લઈને વિવાદ સર્જાયો છે. દરગાહ ગેરકાયદેસર હોવાના કારણે મનપાના અધિકારીઓ નોટિસ આપવા ગયા હતા. ત્યારબાદ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અસામાજિક તત્વો દ્વારા પોલીસના વાહનોમાં તોડફોડ અને આગ ચાંપી દેવામાં આવી હતી. એટલું જ નહીં અસામાજિક તત્વોએ એસટી બસને નિશાન બનાવી પથ્થરમારો પણ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, એન્કાઉન્ટરમાં DYSP, મહિલા PSI સહિત એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. થોડી જ મિનિટોમાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. આ ઉપરાંત પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.