જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એક માળની ઇમારત ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. કડિયાવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટ પાસે 6 લોકો દટાયા હોવાની આશંકા છે, જેમાં 4 લોકોના મોત થયા છે, તમામને બહાર કાઢવામાં આવ્યા છે અને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ અને લોકોએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે. છેલ્લા 5 કલાકથી વધુ સમયથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.