ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચોંકાવનારા સમાચાર છે. અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોય વધુ તીવ્ર બન્યું છે. ચક્રવાત બાઈપોરજોય હાલમાં પોરબંદરના દરિયાકાંઠાથી 480 કિમી દૂર છે.આ ચક્રવાતની દિશા હાલમાં ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે. જો કે તેના કારણે અનેક જિલ્લાઓમાં પવનની ગતિ પણ વધી છે. જ્યારે ગિરનાર ઉપર 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે બીજા દિવસે પણ રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાવાઝોડાની સંભાવનાને લઈને ગુજરાત સરકારને એલર્ટ કરવામાં આવી છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.હવામાન વિભાગની આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ સાથે વાવાઝોડા અંગેની એસઓપી પણ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આપવામાં આવી છે. જ્યારે એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોય વધુ તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલમાં ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આ તોફાન કઈ દિશામાં જશે તે આગામી 24 કલાકમાં જાણી શકાશે. તેથી આગામી 24 કલાકમાં તોફાન વધુ તીવ્ર બનશે.