ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા 27 ગામોમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ, તંત્રને સહકાર આપવા વિનંતી.
પર્યાવરણને હાનિકારક પ્લાસ્ટીકનો ઉપયોગ રોકવા 3 મોબાઈલ ટીમની રચનાઃ નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે
ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકને જતું અટકાવવા માટે ગિરનારની નવી અને જૂની સીડી અને દાતારના એન્ટ્રી પોઈન્ટ પર 3 ટીમ કાર્યરત છે.
(GNS),તા.02
જુનાગઢ,
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતો પ્રખ્યાત મહાશિવરાત્રી મેળો 5 માર્ચથી ઔપચારિક રીતે શરૂ થશે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળામાં આવનાર મુલાકાતીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે ન લાવવા અનુરોધ કરાયો છે.
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવા સાથે સમયાંતરે તેની સમીક્ષા કરી રહ્યા છે. કલેકટરે મહાશિવરાત્રીના મેળામાં દેશ-વિદેશમાંથી આવતા લોકોને પોતાની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓ ન લાવવા અને તંત્રને જરૂરી સહકાર આપવા અપીલ કરી છે.
આ અંગે નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોષીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ છે. તેના અમલીકરણ માટે ત્રણ સ્ટેશન ટીમ અને ત્રણ મોબાઈલ ટીમની રચના કરવામાં આવી છે, સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી તેમજ દાતારના એન્ટ્રી પોઈન્ટ પર કામ કરી રહી છે અને પ્લાસ્ટિકને ગિરનાર સુધી પહોંચતું અટકાવવા જરૂરી કાર્યવાહી કરશે.
પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ રોકવા માટે 3 મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવશે જેઓ મહાશિવરાત્રીના મેળા સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા જરૂરી કાર્યવાહી કરશે અને જો આના અમલીકરણમાં સહકાર નહીં મળે તો દંડ સહિતની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. કાયદો