ડીસાણા તાલુકાના જુનીભીલડી ગામે રહેતો વિજયજી ઉર્ફે જીગો કાળુજી ઠાકોર નામનો 17 વર્ષનો છોકરો માનસિક વિકારના કારણે જાણ કર્યા વગર ઘરેથી જતો રહ્યો હતો. દરમિયાન ગઈકાલે પણ તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને પાલડી રેલવે ફાટક પાસે માલગાડીની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું.
આ ઘટનાની માહિતી ભીલડી પોલીસને આપતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો પંચનામું કર્યા બાદ ભીલડી જૂથ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. અકસ્માત અંગે મૃતકના માતા-પિતાને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની માહિતી ભીલડી પોલીસને આપતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો પંચનામું કર્યા બાદ ભીલડી જૂથ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. અકસ્માત અંગે મૃતકના માતા-પિતાને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.