ડીસા તાલુકાના વહેરા ગામના 43 વર્ષીય દશરથજી ઠાકોર છેલ્લા 10 વર્ષથી માનસિક બિમારીથી પીડાતા હતા. અવાર નવાર દવા લીધા વગર કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી જતો હતો અને ગત બુધવારે રાત્રે પણ કોઈને જાણ કર્યા વગર બાઇક લઈને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે ખેતવા ગામ પાસે ભીલડી લોરવાડા બ્લોક નં. 41/09 પાસે રેલ્વે માલસામાનની ટ્રેનની અડફેટે આવી જતાં અને ટ્રેન નીચે પડી જતાં તેનું મોત થયું હતું.
યુવકે ટ્રેન નીચે પડીને આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ ભીલડી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. પોલીસે પંચનામા કરી લાશને વારસદારોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.