ડીસા તીન હનુમાન મંદિર પાસે સંભવનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગમાં ઘર બળીને ખાખ થઈ જતા મોટુ નુકશાન થયુ હતુ.આજે ડીસાની સંભાવનગર સોસાયટીમાં રહેતા વિજયભાઈ મિસ્ત્રીના મકાનમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડિંગના બીજા માળે અચાનક આગ લાગી અને ધુમાડો નીકળવા લાગ્યો. ઘટનાની જાણ થતાં જ ઘરનો માલિક ઘરની બહાર આવી ગયો હતો અને જાણ કરતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
સદનસીબે આગની ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવની જાણ થતા UGVCLના કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ જતાં ઘરમાલિકને મોટું નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.