રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને રાજસ્થાનના જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેનાથી દેશભરના રાજપૂત સમુદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ડીસામાં કરણી સેના અને રાજપૂત સમાજે રેલી યોજી હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાથી દેશભરમાં ભારે રોષ ફેલાયો છે. ઠેર-ઠેર બંધનું એલાન અને દેખાવો કરવામાં આવી રહ્યા છે અને હત્યારાઓની ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા રાજપૂત સમાજ વતી આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે.
ત્યારે ડીસામાં રાજપૂત સમાજ, કરણી સેના અને હિન્દુ યુવા સંઘ દ્વારા સરદારબાગ સામેથી રેલી કાઢવામાં આવી હતી. રેલી ગાર્ડન મામલતદાર કચેરી રોડ થઈ એસડીએમ કચેરીએ પહોંચી હતી, જ્યાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજપૂત સમાજે મુખ્ય સુત્રોચ્ચાર સાથે સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.
ત્યારે ડીસામાં રાજપૂત સમાજ, કરણી સેના અને હિન્દુ યુવા સંઘ દ્વારા સરદારબાગ સામેથી રેલી કાઢવામાં આવી હતી. રેલી ગાર્ડન મામલતદાર કચેરી રોડ થઈ એસડીએમ કચેરીએ પહોંચી હતી, જ્યાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજપૂત સમાજે મુખ્ય સુત્રોચ્ચાર સાથે સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.