દલિત સમાજના આગેવાનોએ આજે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યભરના ગામડાઓમાં અનુસૂચિત જાતિના લોકોના અગ્નિસંસ્કાર માટે જમીન ફાળવવા અને સ્મશાનમાં સુવિધાઓ ઉભી કરવાની માંગ કરી છે. વર્ષ 2020માં દસડાના તત્કાલિન ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રાજ્ય સરકારને પત્ર લખીને રાજ્યના તમામ ગામોમાં અનુસૂચિત જાતિના લોકો માટે અગ્નિસંસ્કાર માટે જમીન ફાળવવામાં આવે અને સ્મશાનમાં આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જે સંદર્ભે મહેસુલ વિભાગે પત્ર લખીને તમામ કલેક્ટરને આ અંગે કાર્યવાહી કરવા જાણ કરી છે. જો કે અનેક ગામોમાં અગ્નિસંસ્કાર માટે જગ્યાના અભાવે દલિત સમાજના લોકોને અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી અગ્નિસંસ્કાર માટે જમીન ફાળવવા માંગ ઉઠી છે.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ડીસા સબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગૌતમ છત્રાલીયા અને શંકર ડાભી સહિતના આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અનુ.જાતિના લોકો માટે સ્મશાન ન હોય તેવા અનેક ગામોમાં તાત્કાલિક ધોરણે સ્મશાન બનાવવામાં આવે અને સ્મશાનમાં આધુનિક વિકાસ કામો હાથ ધરી સુવિધાઓ ઉભી કરવામાં આવે. જો કે આ અંગે સરકારે કલેક્ટર અને કલેક્ટરથી લઈને ડેપ્યુટી કલેક્ટરને કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે, પરંતુ હજુ સુધી જમીનનું નામકરણ કરવામાં આવ્યું નથી. તેથી જ સમાજને લાગે છે કે SC લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જેથી અમે આ અંગે તાકીદે પગલાં ભરવા વિનંતી કરી છે.