(વાલી સમાચાર) ડીસા, ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે બનાસ નદીમાં પાણી આવતા જ લોકોની બેદરકારી સામે આવી છે. પ્રશાસન દ્વારા વારંવાર નદીમાં ન જવાની સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં, લોકો નદી પાર કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમ ભરાઈ ગયો હોવાથી ગઈકાલે ડેમના બંને દરવાજામાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતાની સાથે જ બનાસ નદી પુન:જીવિત થઈ છે અને નદીને પાણી આપતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ, બનાસ નદીમાં મોટા ખાડાઓને કારણે પાણીમાં ફસાયેલા લોકોને જીવ ન ગુમાવવો પડે તે માટે પ્રશાસન દ્વારા વારંવાર નદીમાં ન જવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.
જોકે, ડીસાના રાણપુર ગામ પાસે બનાસ નદીમાંથી પસાર થતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ જ્યારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. બનાસ નદીમાં અનેક લોકોના ડૂબી જવાના કે તેમાંથી પસાર થતી વખતે ડૂબી જવાના બનાવો બન્યા છે.
જોકે, ડીસાના રાણપુર ગામ પાસે બનાસ નદીમાંથી પસાર થતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ જ્યારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. બનાસ નદીમાં અનેક લોકોના ડૂબી જવાના કે તેમાંથી પસાર થતી વખતે ડૂબી જવાના બનાવો બન્યા છે.