આ દેશની આઝાદીનું અમૃત વિકાસનું પર્વ બની રહેશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ રાજ્યના આદિવાસી જિલ્લાઓને રૂ.1057 કરોડથી વધુના 4033 વિવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
(GNS), નં.09
તાપી
તાપી જિલ્લાના ગુણસદમા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું આ અમૃત પર્વ વિકાસનું પર્વ બની રહેશે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસો સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારો દરેક સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના આદિવાસી જિલ્લાઓને રૂ.1057 કરોડથી વધુના 4033 જેટલા વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
તેમણે આદિવાસી પેટા યોજના હેઠળ 419 કરોડ અને રૂ. 637 કરોડના 1587 કામોનું ઈ-ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી આદિજાતિ પેટા યોજના હેઠળ 1.25 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને રૂ. 21 કરોડથી વધુની શિષ્યવૃત્તિ અને સહાયતાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 1856 પરિવારોને રૂ.15 કરોડથી વધુની આવાસ સહાય આપવામાં આવી હતી.
તાપી જિલ્લાના સરહદી ગામોની તેમની તાજેતરની મુલાકાતના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની દૂરંદેશીનાં કારણે છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોનો વિકાસ થયો છે. આજે સમાજ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં જે સિદ્ધિઓ જોઈ રહ્યો છે તે વડાપ્રધાનના પ્રયાસોને કારણે શક્ય બની છે.