બનાસકાંઠાના વડગામના ભાંગરોડિયા ગામની યુવતી સહિત ચાર લોકો રજા માણવા ગયા હતા. ત્યારે જ તેની કાર સામેથી આવતી કાર સાથે અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર ગુજરાતીઓના મોત થયા હતા. ભાંગરોડિયાની અંજલી મકવાણા જે તુર્કીમાં બીએસસી એમએલટીનો અભ્યાસ કર્યા બાદ હોટલનું સંચાલન કરતી હતી અને પ્રતાપભાઈ કારવદરા, જયેશ આગથ અને પુષ્ટિ પાઠક નામના 4 ગુજરાતીઓની હત્યા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના વડગામના ભોગરોડિયા ગામની 21 વર્ષીય અંજલીબેન કનુભાઈ મકવાણા નામની યુવતી તુર્કીમાં બીએસસી અને એમએલટી પૂર્ણ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીમાં હોટલ મેનેજમેન્ટમાં નોકરી કરતી હતી. કાર દરમિયાન હાઇવે પર કિરેનિયા પાસે ગમખ્વારની સ્પીડમાં આવતી કારને અકસ્માત નડ્યો હતો, જેમાં કારમાં મુસાફરી કરી રહેલા ભાંગરોડિયાના અંજલી કનુભાઇ મકવાણા સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ભાંગરોડિયા ગામની આશાસ્પદ દીકરીના વિદેશની ધરતી પર અવસાન થતાં તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.