થરાદની ભોરોલ માઈનોર કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના ખેડૂતોએ આજે ખાલી કેનાલમાં બેસીને રામધૂન કરીને વિરોધ કર્યો હતો. તંત્ર દ્વારા કેનાલની સફાઈ ન કરાતા પાણી છોડવામાં આવતું ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો નહેર આધારિત ખેતી કરી રહ્યા છે. જેમાં કેટલાક વિસ્તારની કેનાલોમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં થરાદ ભોરોલ માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવતા સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા હતા અને કેનાલમાં જઈને રામધૂન બોલાવી હતી. ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી છોડવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોએ રામ ધૂન વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ કેનાલ પર રામધૂન બોલાવી કેનાલની સફાઈ કરી પાણી છોડવાની માંગ કરી છે.
The post થરાદની ભોરોલ માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ : ખાલી કેનાલમાં બેસી રામધૂન