થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં આજે એક ગાય પડી હતી. વાવ રોડથી ખાનપુર તરફની કેનાલના સાયફનમાં ગાય પડી હતી. ગાય કેનાલમાં પડી હોવાના સમાચાર સાંભળી થરાદના ગૌ સેવકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોને બોલાવી ગાયને સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢી હતી. નર્મદા કેનાલ સાઇફનના કચરામાં ફસાયેલી આ ગાયને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી હતી. આ ગાયને બચાવવા શિવનગર થરાદના નરેશભાઈ મેરાજ અને લક્ષ્મણભાઈ પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી. નર્મદા કેનાલના રહેણાંક વિસ્તારોને કોર્ડન કરવામાં આવે તો પશુઓ વગેરે તેમાં પડતા બચાવી શકાય.