કવિ પિંગલશીભાઈના ઉપરોક્ત સૂત્ર મુજબ આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે થરાદમાં વરસાદ પડ્યો હતો. આજે દોઢ કલાક સુધી વરસાદ પડ્યો હતો. થરાદ શહેરના શિવનગર, અભેપુરા, વજેગઢ અને માલુપુર વિસ્તારમાં આજે હળવો વરસાદ પડ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને વરસાદ સંતાકૂકડીની રમત રમી રહ્યો હતો. પરંતુ આજે પવનના સુસવાટા હતા. થરાદના રામજી મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદની ભીની મોસમમાં પણ લોકો ભક્તિથી ભરેલા છે.