થરાદની ભોરોલ માઈનોર કેનાલ 2 ઓવરફ્લો થવાથી કેનાલ પાસેના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલા થરાદ વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોનો પાક બરબાદ થવાની ભીતિ છે. બીજી તરફ હવે માઈનોર કેનાલ ઓવરફ્લો થવા લાગી છે. જેમાં શનિવારે થરાદની ભોરોલ માઈનોર કેનાલ 2 ઓવરફ્લો થતાં કેનાલ પાસેના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આવા સંજોગોમાં વાવણી લાયક પાકને નુકશાન થવાની સંભાવનાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.