થરાદ શહેરની મોટાભાગની સોસાયટીઓમાં ગત રાત્રિથી વીજ પુરવઠો ખોરવાયો છે. તે ક્યારે પૂર્વવત થશે તે અંગે થરાદ વીજ બોર્ડના મદદનીશ ઈજનેર અને ટેકનિકલ અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરની કેટલીક સોસાયટીઓમાં હજુ પણ લાઈટ સપ્લાય ચાલુ છે અને જ્યાં પણ ખામી છે ત્યાં અમારી ટીમ રીપેરીંગની કામગીરી કરી રહી છે. જ્યાં ખામી દૂર થશે ત્યાં આજે મોડે સુધી લાઈટ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થરાદ શહેરમાં કુલ ત્રીસ વીજ પોલ પડી ગયા છે. જેના કારણે આ વીજતંત્ર ખોરવાઈ ગયું છે.