થરાદ તાલુકાની આજવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કિરણબેન આંબાભાઈ ચૌધરીને કલા ઉત્સવ કાર્યક્રમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. થરાદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં બાળ કવિએ સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તાલુકા અને રામપુરા કેન્દ્ર તેમજ આજવાડા પ્રાથમિક શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થી અને તેના માર્ગદર્શક શિક્ષકો રૂડાભાઈ બોચીયા અને બાબુભાઈ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા.