વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ બુધવારે નર્મદા કેનાલના દરવાજા ખોલીને થરાદના મહાજનપુરા પાસે 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ જળાશય પાઇપલાઇન પ્રોજેક્ટ હેઠળના જળાશયને ભરવાનું શરૂ કર્યું હતું. જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પમ્પીંગ સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય કેનાલથી સીપુડમ સુધીની પાઇપલાઇન પમ્પીંગનું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ મુખ્ય પાઈપલાઈનની બંને બાજુના ગામ તળાવોને લીંક પાઈપ નાખીને ભરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય કેનાલથી સીપુડમ સુધીની પાઇપલાઇન પમ્પીંગનું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ મુખ્ય પાઈપલાઈનની બંને બાજુના ગામ તળાવોને લીંક પાઈપ નાખીને ભરવામાં આવશે.