કાંકરેજ તાલુકાના થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજ ઝઝાવડા વલીનાથ મહાદેવ (તીર્થ) મંદિરની ગુરુગાદી સંસ્થા આવેલું છે. જ્યાં વર્ષોની પરંપરા મુજબ મહાવદ ત્રીજની મહાશિવરાત્રી અને શ્રાવણ સુદ પૂનમનો રક્ષાબંધન મેળો ભરાયો હતો. પૂર્વ મહંત નરભેપુરજી મહારાજ, મહંત શિવપુરીજી મહારાજ અને વર્તમાન મહંત ઘનશ્યામપુરીજી મહારાજના સમયમાં પણ આ પરંપરા ચાલુ છે. શ્રદ્ધાળુ શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મહંત મહંત 1008 ઘનશ્યામપુરીજીએ ગુરુ શિવપુરીજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને મહાશિવરાત્રી મહોત્સવની સાથે સવારે 4 કલાકે ઝઝાવડા વલીનાથ મહાદેવ (તીર્થ), નીલકંઠ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ મંદિર માર્કેટ યાર્ડ, રામજી મંદિર શિવાલયમાં પૂજા આરતી કરવામાં આવી હતી. મેળાના મેદાનમાં બ્રહ્મા કુમારી સંસ્થાનના શિવ પ્રદર્શનમાં બ્રહ્મા કુમારી સૂર્યાબેને ભક્તોને શિવનો મહિમા સુંદર રીતે વર્ણવ્યો હતો. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી.ગોહિલની સુચના મુજબ થરા શિહોરી પીએસઆઇ તથા સ્ટાફે સતત પેટ્રોલીંગ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયાસ કર્યો હતો.
મહંત મહંત 1008 ઘનશ્યામપુરીજીએ ગુરુ શિવપુરીજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને મહાશિવરાત્રી મહોત્સવની સાથે સવારે 4 કલાકે ઝઝાવડા વલીનાથ મહાદેવ (તીર્થ), નીલકંઠ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ મંદિર માર્કેટ યાર્ડ, રામજી મંદિર શિવાલયમાં પૂજા આરતી કરવામાં આવી હતી. મેળાના મેદાનમાં બ્રહ્મા કુમારી સંસ્થાનના શિવ પ્રદર્શનમાં બ્રહ્મા કુમારી સૂર્યાબેને ભક્તોને શિવનો મહિમા સુંદર રીતે વર્ણવ્યો હતો. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી.ગોહિલની સુચના મુજબ થરા શિહોરી પીએસઆઇ તથા સ્ટાફે સતત પેટ્રોલીંગ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયાસ કર્યો હતો.