રાજ્યમાં રખડતા પશુઓ પ્રત્યે ક્રૂરતા વધી રહી છે. બનાસકાંઠાના થરા રાધનપુર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. રખડતા ઢોર સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અકસ્માતમાં એક મૃતક યુવક ભીલડીના સોયલા ગામનો અને બીજો યુવક રાધનપુરનો હતો. આ બંને યુવાનો ભીલડીથી રાધનપુર જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર આવેલા ઉણ ગામના પાટિયા પાસે તેમની બાઇક રખડતા ઢોર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાઓ મોડી રાત્રે બની હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અને અન્ય વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.