દાંતા તાલુકાના ખાખવાડ ગામના વળાંક પરથી બાઇક બળેલી હાલતમાં મળી આવ્યું હતું. બાઇકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આજે આ સળગી ગયેલી બાઇક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા મામલો સામે આવ્યો છે. દાંતાના ખૈવડ ગામના ફળિયા પાસે સળગતી બાઇક મળી આવતા સળગતી બાઇક જોઇ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો આ બાઇક કોની છે અને આ બાઇકમાં કેવી રીતે આગ લાગી કે આગ કોણે લગાવી તે હજુ ખુલ્લો પ્રશ્ન છે. બાઇકમાં આગ લાગવાની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી તે ગૌરવની વાત છે.