દાંતા તાલુકાનો તાલુકા કક્ષાનો ‘મારી માટી-મારો દેશ’ કાર્યક્રમ દાંતા રજવાડાના મહારાજા રિદ્ધિરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે દેશભક્તિના માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે શિલાપાલકમનું અનાવરણ, શહીદોના પરિવારોનું સન્માન અને વસુધા વન હેઠળ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દાંતા રજવાડાના મહારાજા રિદ્ધિરાજ સિંહ પરમારે ત્રિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગીત ગાયું. આ સાથે ‘મારી માટી મારુ દેશ’ અંતર્ગત ઉપસ્થિત તમામ લોકો દ્વારા હાથમાં માટી લઈને પંચ પ્રાણ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. તો શાળાની વિવિધ પરીક્ષાઓ અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ઝળહળતા તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.