દાંતા તાલુકાની ગણના બનાસકાંઠા જિલ્લાના પછાત તાલુકાઓમાં થાય છે. દાંતા તાલુકો, જે એક અંતરિયાળ પ્રદેશ છે, તેમાં આદિવાસીઓની બહુમતી વસ્તી છે. દાંતા તાલુકામાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમ જ પશુપાલન છે. દાંતા તાલુકામાં અનેક અસામાજિક તત્વોને લઈને અવનવા બનાવો સામે આવી રહ્યા છે. દાંતા તાલુકામાં આજે બાઇક સળગાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બાઇક બળી ગયું હતું. દાંતા તાલુકાના ખાખવાડ ગામના વળાંક પરથી બાઇક બળેલી હાલતમાં મળી આવ્યું હતું. બાઇકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આજે સળગતી બાઇક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. દાંતાના ખૈવડ ગામના ફળિયા પાસે સળગતી બાઇક મળી આવતા સળગતી બાઇક જોઇ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.