બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના દેરી ગામના એક યુવાન પર અચાનક રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ડેરી ગામના આયદાનભાઈ રબારી નામના યુવાનને રીંછ દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, રીંછના હુમલાથી યુવાનનું લોહીલુહાણ થઈ ગયું હતું. આથી યુવાનને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાને લઈને ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ સાથે વન વિભાગે પણ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં રીંછના હુમલાના અનેક બનાવો અગાઉ નોંધાયા હતા. જે બાદ હવે દાંતીવાડા તાલુકાના દેરી ગામમાં રીંછના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં જીલ્લાના જેસોર અભયારણ્યમાં રીંછ મોટી સંખ્યામાં વસે છે. તેઓ ઘણીવાર ખોરાકની શોધમાં માનવ વસાહતોમાં પ્રવેશ કરે છે અને ગભરાટમાં લોકો પર હુમલો કરે છે.