દાંતીવાડા તાલુકાના દેરીગામના યુવક પર રીંછના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. ડેરી ગામના આયદાનભાઈ રબારી નામના યુવાનને રીંછના હુમલાથી ગંભીર ઈજા થઈ હતી. આથી યુવાનને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જો કે વન વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના દેરી ગામના એક યુવાન પર રીંછે હુમલો કર્યો છે. ડેરી ગામના આયદાન રબારી નામના યુવાનને રીંછના બચ્ચાથી માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, રીંછના હુમલાથી યુવાન લોહીલુહાણ થઈ ગયો હતો. આથી યુવાનને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાને લઈને ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ સાથે વન વિભાગે પણ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં રીંછના હુમલાના અનેક બનાવો અગાઉ નોંધાયા હતા. જે બાદ હવે દાંતીવાડા તાલુકાના દેરી ગામે રીંછના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે.