દાંતીવાડાના પાંથવાડા પાસે આવેલ પાંસવાલમાં સીપુ નદીના કિનારે આવેલ સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પૌરાણિક મંદિર ગંગેશ્વર મહાદેવના દર્શન કરી સીપુ નદીના કિનારે આવેલા સીપુ મૈયાના દર્શન કર્યા હતા. તમામ કાર્યકર નેતાઓને આગામી 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષનું સંગઠન મજબૂત કરવા હાકલ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ ગઢિયા, તાલુકા ભાજપ મહામંત્રી હરજીભાઈ ભુતડિયા તેમજ પક્ષના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.