દાંતીવાડા ગામમાં કચરાના ઢગલા પડ્યા છે. સફાઈના અભાવે મુખ્ય માર્ગ સાંકડો બની ગયો છે અને રોડની બીજી બાજુએ કચરાના ઢગલા અને મોટા પથ્થરોના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેઓ કચરો સાફ કરી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી રહ્યા છે. દાંતીવાડા મુખ્ય ગામથી જેગોલ તરફ જતો રસ્તો જર્જરિત બની ગયો છે. રોડ કિનારે પડેલા કચરાના કારણે ગ્રામ પંચાયતને સફાઈ માટે અપાતી માથાદીઠ ગ્રાન્ટ પર સવાલો ઉભા થયા છે. ગામડાઓની સફાઈ માટે સરકાર ગ્રાન્ટ ફાળવે છે તો ગ્રાન્ટના પૈસા ક્યાં જાય છે અને ગામડાઓમાં સફાઈની કામગીરી કેમ થતી નથી તેવો મોટો પ્રશ્ન ઉભો થાય છે. દાંતીવાડામાં આવેલા આ કચરાના ઢગ પર હાલ વાહનોના ચાલકો પરેશાન થઈ રહ્યા છે. મુખ્ય માર્ગ પર આ કચરો રોડને ઢાંકીને આડેધડ પડેલો છે તો બીજી બાજુ રોડની સાઈડમાં મોટો પથ્થર મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સામસામે આવતા વાહનો વચ્ચે અકસ્માત થવાની સંભાવના રહે છે. જેના કારણે આ કચરો સાફ કરવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.