બનાસકાંઠા જિલ્લામાં ઘટતા ભૂગર્ભ જળની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે પણ જાગવાની જરૂર છે. કેરટેકર દ્વારા આ બાબતે અનેક વખત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં દાંતીવાડાથી સીપુ જળાશયમાં લીંક કેનાલ મારફતે પાણી છોડવાની માંગણીના સમાચાર પ્રસિધ્ધ થતા ખેડૂતોને આ યોજનાનો ઘણો ફાયદો થવાની સંભાવના છે. જેના કારણે ડીસા અને ધાનેરાના ધારાસભ્યએ પણ દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે જોડવાની રજુઆત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરી છે.
કેટલાક ખેડૂતોએ જણાવ્યું કે, દાંતીવાડા ડેમમાંથી છેલ્લા 20 દિવસથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દાંતીવાડા અને સીપુને લીંક કેનાલ દ્વારા જોડવામાં આવે તો આ વધારાનું પાણી સીપુ ડેમને આપી શકાયું હોત. આવી સ્થિતિમાં હવે સિપુ ડેમ માત્ર 30 ટકા જ ભરાયો છે.
આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવી દાંતીવાડા ડેમના ઓવરફ્લોના પાણીને સીપુ ડેમમાં ડાયવર્ટ કરવામાં આવે તો સીપુ ડેમ આધારિત સિંચાઈ યોજનામાં ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે.
આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવી દાંતીવાડા ડેમના ઓવરફ્લોના પાણીને સીપુ ડેમમાં ડાયવર્ટ કરવામાં આવે તો સીપુ ડેમ આધારિત સિંચાઈ યોજનામાં ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે.