કરોડો લીટર પાણીનો બિનજરૂરી બગાડ થઈ રહ્યો છે. હવે તેને સિંચાઈ વિભાગની બેદરકારી કહીએ કે નહીં? આખરે આ બગાડનો માર ખેડૂતોએ ભોગવવો પડશે. કારણ કે આ વિનાશના કારણે 11 હજાર હેક્ટર બગીચાને નુકસાન થવાની સંભાવના છે. ત્યારે ભ્રષ્ટાચારની કેનાલમાંથી એક હેક્ટરમાં ખેતી માટે પાણી ન મળતા પરેશાન ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. સિંચાઈ વિભાગ અને દાંતીવાડા ડેમના અધિકારીની બેદરકારીના કારણે આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.દાંતીવાડા ડેમના ગેટને નુકસાન થવાથી કેનાલમાં પણ પાણીની જરૂર ન હોય ત્યાં પાણી વહી રહ્યું છે. જ્યાં પાણીની જરૂર છે ત્યાં કેનાલોમાં ભ્રષ્ટાચારની આંટીઘૂંટીઓ છે. આવી સ્થિતિમાં છેલ્લા આઠ મહિનાથી પાણી મળતું નથી. જેના કારણે પાલનપુર અને ગઢ પંથકમાં 11 હજાર હેક્ટર ખેતી પર ખેડૂતો માટે સંકટ સર્જાવાની સંભાવના છે.
રવિ સિઝન માટે દાંતીવાડા, પાલનપુર અને ગઢ પંથકના ખેડૂતોની માંગણી મુજબ દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જોકે બે તબક્કામાં પાણીની માંગ સંતોષાતા પાણી બંધ કરવું પડ્યું હતું. પરંતુ દાંતીવાડા ડેમના ગેટને નુકસાન થતાં પાણી અટકાવી શકાયું નથી.
રવિ સિઝન માટે દાંતીવાડા, પાલનપુર અને ગઢ પંથકના ખેડૂતોની માંગણી મુજબ દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જોકે બે તબક્કામાં પાણીની માંગ સંતોષાતા પાણી બંધ કરવું પડ્યું હતું. પરંતુ દાંતીવાડા ડેમના ગેટને નુકસાન થતાં પાણી અટકાવી શકાયું નથી.