બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે ધારાસભ્ય કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં અટલ ભૂગર્ભ જળ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ઉપરાંત અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખેડૂત આગેવાન અમરભાઈ ચૌધરી ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ધારાસભ્યના એક સમર્થકે જાહેરમાં અમરાભાઈને બે વાર થપ્પડ મારતા કાર્યક્રમમાં હોબાળો મચી ગયો હતો. મામલો વધુ ન વધે તે માટે અન્ય લોકોએ બંનેને શાંત પાડવાનું શરૂ કર્યું હતું.જાહેર કાર્યક્રમમાં ખેડૂત આગેવાન અમરભાઈ ચૌધરીને થપ્પડ મારતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા. અને પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે મેં ખેડૂતોના મુદ્દે રજૂઆત કરી હતી, તેથી જ નેતાઓના ચમચા મને પરેશાન કરી રહ્યા છે. અમરાભાઈ અહી અટક્યા ન હતા અને ધારાસભ્યનો સંપર્ક કરતા રોષ અમરાભાઈએ જણાવ્યું હતું કે આ યોજનામાં દિયોદર તાલુકાના માત્ર 8 ગામોનો સમાવેશ થાય છે તેથી અમને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને અધિકારીઓએ પ્રશ્નો રજુ કરવા જણાવ્યું હતું, તેથી મેં રજૂઆત કરી હતી. ભૂગર્ભ જળ યોજનાના કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે, જે ચર્ચા થશે તેના પર જ તેઓ માર્ગદર્શન આપી શકશે. દિયોદરમાં ખેડૂત આગેવાન અમરાભાઈ પર હુમલાની ઘટના દરમિયાન અરજણભાઈ ઠાકોર સામે થપ્પડ માર્યાની ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.